Site icon Revoi.in

રામ મંદિર  ભૂમિપૂજન: RSSના સરસંઘ ચાલક મોહન ભાગવતના મહત્વના બોલ

Social Share

અમદાવાદ: આરએસએસના નેતા મોહન ભાગવતે રામમંદિરને લઈને કેટલીક મહત્વની વાત કહી છે, તેમણે કહ્યું કે આ એક આનંદનો ક્ષણ છે અને રામમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મોહન ભાગવતે રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ સમયે જણાવ્યું કે તેમણે આજથી 30 વર્ષ પહેલા એક સંકલ્પ લીઘો હતો અને આ 30 વર્ષના પ્રારંભે સંકલ્પ પૂર્ણનો આનંદ છે.

રામ મંદિરના નિર્માણ અને ભૂમિપૂજનથી આજે સમગ્ર દેશમાં ખુશીની લાગણી છે અને તેને ધ્યાનમાં રાખીને પણ મોહન ભાગવતે કહ્યું કે આજે તેમને સદીઓ પુરી આશા પુરી થવાનો આનંદ છે, સૌને સાથે લઈને આગળ વધવાની વિધીને તેનો પ્રારંભ થયો છે, સૌના કલ્યાણના ભારતના નિર્માણનો આજથી આરંભ થયો છે.

મોહન ભાગવતે કહ્યુ કે હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે, સમગ્ર વિશ્વ વિચારી રહ્યું છે ક્યાં ભૂલ થઈ છે અને રસ્તો શોધી રહ્યું છે. ત્યારે દુનિયાને રસ્તો બતાવવાનો સંકલ્પનો દિવસ છે અને વીરોવૃતિ આપણામાં છે તે ખોવાઈ નથી તેવી પ્રેરણા ભારતવાસીઓને મળી છે.

અયોધ્યામાં આજે દિવાળીથી ઓછો હશે નહી અને તે વાતને લઈને પણ તેમણે કહ્યું કે રામ ભગવાન આપણા બધામાં છે અને આપણે ભગવાન શ્રી રામના છે. હવે આપણે મનમાં અયોધ્યાને સજાવવાનું છે તથા આપણા મનમાં પણ અયોધ્યાને બનાવવાની છે. અયોધ્યામાં મંદિર બનશે પણ આપણા મનમાં મનમંદિર બનવું જોઈએ તેવું મોહન ભાગવતે કહ્યું. સૌથી દોષ વિકારોથી મુક્ત આપણું હ્રદય બનવું જોઈએ. હ્મદયમાંથી તમામ દ્રેશ મુક્ત કરી દુનિયાનાના તમામ લોકો અને સમાજના ઉદ્ધાર કરવાનું રહેશે.

મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, એક સંકલ્પ લીધો હતો ત્યારના સંઘપ્રમુખે કહ્યું હતું કે, 20-30 વર્ષમાં આ કામ કરવુ પડશે અને આજે 30 વર્ષના પ્રારંભમાં કામ શરૂ થયું છે. અનેક લોકો કોરોના મહામારીને કારણે આવી શક્યાં નથી. લાલકૃષ્ણ અડવાણીજી પણ આવી શકયાં નથી. દેશમાં હવે આત્મનિર્ભર ભારત તરફ વધુ કામ કરાશે. આજે કોરોના મહામારી વચ્ચે સમગ્ર દુનિયાને નવો રસ્તો શોધી રહ્યું છે.