Site icon Revoi.in

અમદાવાદમાં આવકવેરા વિભાગનો સપાટો, જાણીતા બિલ્ડર ગ્રુપ ઉપર પાડ્યાં દરોડા

Social Share

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં આવકવેરા વિભાગે આજે જાણીતા બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા પાડ્યાં હતા. આવકવેરા વિભાગની ટીમે ગ્રુપના તમામ બિલ્ડર તથા તેમની સાથે સંકળાયેલા બિલ્ડરોના નિસાસ સ્થાન, ઓફિસ અને વ્યવસાયના સ્થળ પર દરોડા પાડ્યાં હતા. આઈટીએ લગભગ 25 સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ આરંભી હતી. દરોડામાં કરોડોની કરચોરી પકડાવવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે સવારે પોલીસની મદદથી જાણીતા બિલ્ડર જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. શહેરના નવરંગપુરા સહિત લગભગ 25 સ્થળો ઉપર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આઈટીની તપાસમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળ્યાં હોવાનું પણ જાણવા મળે છે. આ ઉપરાંત નાણાકીય વ્યવહારના મહત્વના દસ્તાવેજ પણ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે.

અમદાવાદ શહેરમાં આવકવેરા વિભાગે જાણીતા બિલ્ડર જૂથ ઉપર મોટાપાયે દરોડા પાડતા અન્ય બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાયો છે. આઈટીની તપાસમાં કરોડોની કરચોરી ઝડપાવાની શકયતા છે.