Site icon Revoi.in

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ પર બનશે ફિલ્મ – જાણો ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે

Social Share

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાથી વિદાય લીધી તે વાત ઘણો સમય થઇ ગયો છે. સુશાંતસિંહ રાજપૂતે ખરેખર આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે રહસ્ય હજુ બહાર આવ્યું નથી. એક તરફ સુશાંત કેશમાં દેશની ત્રણ મોટી તપાસ એજન્સીઓ સીબીઆઈ, એનસીબી અને ઈડી આ કેસની જીણવટ ભરી તપાસ કરી રહી છે ત્યારે બીજી તરફ હવે સુશાંતની કહાની પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત થઇ ચૂકી છે.

સરલા સારાઓગી અને રાહુલ શર્મા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસથી પ્રેરિત આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. દિલીપ ગુલાટી આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી સંભાળશે અને અભિનેતા ઝુબેર ખાન સુશાંત સિંહ રાજપૂતનો રોલ પ્લે કરતા દર્શકોને જોવા મળશે .

આ ફાઇનલમાં રિયા ચક્રવર્તીના રોલમાં શ્રેયા શુક્લા ભૂમિકા ભજવશે. શ્રેયા આ પેહલા વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે. બિગ બોસ ફેમ અભિનેત્રી સોમી ખાનની સુશાંતની આ ફિલ્મમાં તેની સેક્રેટરી દિશા સલિયનની ભૂમિકા માટે પસંદ કરાઈ છે. હવે દર્શકો આ બાબતે અનુમાન લગાવી રહ્યા છે કે સુશાંતની મોતની કહાનીને આ ફિલ્મમાં દિશા સલિયનના મૃત્યુ સાથે જોડવામાં આવી શકે છે.

જ્યારે ખુબજ ફેમસ વિલન તરીકે જાણીતા અભિનેતા શક્તિ કપૂર આ ફિલ્મમાં સીબીઆઈ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના અન્ય પાત્રોની જો વાત કરીએ તો અરુણ બક્ષી સુશાંતના પિતાનો રોલ પ્લે કરી અને અમન વર્મા ઇડી અધિકારીની ભૂમિકમાં દર્શકોને જોવા મળશે. બીજી તરફ લોકપ્રિય અભિનેતા અસારણી અને સુધા ચંદ્રને પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા દર્શકો જોઈ શકશે.

હાલ આ ફિલ્મની કાસ્ટ અને ક્રૂને આખરી ઓપ અપાય રહ્યો છે, ત્યારે હવે જોવું રહ્યું કે આ ફિલ્મને દર્શકો પસંદ કરશે કે કેમ જો કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે રીતે સુશાંતની લાસ્ટ ફિલ્મ દિલ બેચાર સુપર હિટ રહી છે તેજ રીતે દર્શકો તેની કહાની પર બનેલી ફિલ્મ જોવામાં ચોક્કસ રસ ધરાવશે.

_Sahin