Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં પાકિસ્તાનના બે SSG કમાન્ડો ઠાર

Social Share

જમ્મુ-કાશ્મીર ખાતેની એલઓસી પર પાકિસ્તાન દ્વારા 100 એસએસજી કમાન્ડોની તેનાતીના તાજેતરમાં અહેવાલ આવ્યા હતા. તેના કારણે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ દ્વારા કોઈ હિમાકતની કોશિશની શક્યતાઓ સર્જાઈ હતી.

ભારતીય સેનાએ ગુરેજ સેક્ટર ખાતે એલએસી નજીક પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમની હુમલાની કાર્યવાહીને નિષ્ફળ બનાવી છે.

ભારતીય સેનાએ ગુરેજ સેક્ટરમાં બે પાકિસ્તાની એસએસજી કમાન્ડોને ઠાર માર્યા છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાની એસએસજીની ટુકડીને બેથી ત્રણ કમાન્ડો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ છે.