Site icon Revoi.in

ગુજરાતનું બજેટ: સૌપ્રથમ વખત 204815 કરોડનું બજેટ, આરોગ્ય-પરિવાર કલ્યાણ પાછળ 10,800 કરોડનો ખર્ચ

Social Share

આજથી વિધાનસભામાં ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. આજે ગૃહમાં નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતની જનતા માટે બજેટ રજૂ કર્યું હતું.  નીતિન પટેલ નાણાંકીય વર્ષ 2019-20નું બજેટ રજૂ કર્યું છે.

રાજ્યના બધા જ ખેડૂતોને PM કિસાન સન્માન યોજનાનો લાભ

PM કિસાન સન્માન યોજના અંતર્ગત 28 લાખ ખેડૂતોને ચૂકવણી

28 લાખ ખેડૂતોને પ્રથમ 2 હપ્તાના 1131 કરોડ ચુકવ્યા

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.7111 કરોડ

આંગણવાડી બહેનોના પગારમાં વધારો કર્યો હતો

ખેડૂતોને વ્યાજ સહાય આપવા રૂ.952 કરોડની જોગવાઈ

જળસંચય માટે સરકારની પાણીદાર યોજનાઓ

18 લાખ ખેડૂતોને પાક વિમા માટે રૂ.1073 કરોડની જોગવાઈ

તેમણે બજેટની શરૂઆતમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો. આજે નીતિન પટેલે બજેટ અગાઉ ખેડૂતોને નર્મદાનું પાણી આપવાની વાત કરીને પહેલા જ ભેટ આપી હતી.

નાણાં મંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતા પહેલા એક સંબોધન કર્યું હતું. તેમણે આજે લોકસભામાં ભવ્ય જીત મેળવી તે બદલ પીએમ મોદી અને અમિત શાહનો જનતાવતી આભાર માન્યો હતો. નીતિન પટેલે જનતાએ ફરીથી નરેન્દ્ર મોદીને ફરી PM બનાવવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે અમારી સરકારે પ્રજાલક્ષી યોજનાની જાહેરાત કરી કામકાજ શરૂ કર્યું છે.

બાગાયતી પાકોમાં વેલ્યુ એડીશન માટે હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટી સ્થપાશે

2022 સુધીમાં ઘરે – ઘરે પીવાનું શુદ્ધ પાણી પુરૂ પડાશે : DyCM

બંધોની જાળવણી, નહેર માળખા સુધારણ, સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન

સિંચાઈ વ્યવસ્થાપન માટે રૂ.7157 કરોડની જોગવાઈ

દરિયાના ખારા પાણીને શુદ્ધ કરવા 8 ડિસેલિનેશન પ્લાન્ટ

બનાસકાંઠામાં થરાદથી સીપુ ડેમ સુધી લાઈન માટે રૂ.100 કરોડ

નર્મદા યોજના માટે રૂ.6595 કરોડની જોગવાઈ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ માટે રૂ.260 કરોડ

માહિતી પ્રસારણ વિભાગ માટે રૂ.174 કરોડની જોગવાઈ

નાણાંમંત્રીએ 2,04,815 કરોડનુ બજેટ રજૂ કરવા દરમિયાન ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો. ત્યાર બાદ કૃષિ, આરોગ્ય, રોજગારી અને પાણી પર ભાર આપી જાહેરાતો કરવાની શરૂઆત કરી હતી.

શિક્ષણ માટે રૂ.30045 કરોડની જોગવાઈ

શહેરી વિકાસ માટે રૂ.13149 કરોડની જોગવાઈ

કાયદા વિભાગ માટે રૂ.1653 કરોડની જોગવાઈ

મહિલા અને બાળ વિકાસ માટે રૂ.3138 કરોડ

આદિજાતી વિકાસ માટે રૂ.24981 કરોડની જોગવાઈ

શ્રમ અને રોજગાર માટે રૂ.1471 કરોડની જોગવાઈ

માર્ગ અને મકાન માટે રૂ.10058 કરોડની જોગવાઈ

બંદરો અને વાહન વ્યવહાર માટે રૂ.1378 કરોડ

ઉર્જા અને પેટ્રો કેમિકલ માટે રૂ.13094 કરોડની જોગવાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.10800 કરોડ

રાજકોટમાં એઈમ્સના આંતરમાળકીય સુવિધા માટે રૂ.10 કરોડ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 10,800 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના 4.90 લાખ નાગરિકોને 818 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજના માટે આ વર્ષે 450 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે શહેરી વિસ્તારના આરોગ્ય તંત્રને સુદ્રઢ કરવા 110 કરોડ, મા અને મા વાત્સલ્ય યોજના માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો માટે 1000 કરોડ, સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે દવાઓ માટે 500 કરોડ, સિઝનલ રોગ નિયંત્રણ માટે 313 કરોડ, બાલ સખા રાજ્ય વ્યાપી યોજના માટે 85 કરોડ, પી.એચ.સી, સી.એચ.સીના બાંધકામ માટે 129 કરોડની ફાળવણી કરી છે.

જળસંપત્તિ માટે રૂ.7157 કરોડની જોગવાઈ

પંચાયત અને ગ્રામ વિકાસ માટે રૂ.8462 કરોડની જોગવાઈ

નદીઓનું પ્રદૂષણ અટકાવવા રૂ.500 કરોડની જોગવાઈ

સૌને આવાસ યોજનાના લક્ષ્યાંક માટે રૂ.1553 કરોડની જોગવાઈ

પાણી પુરવઠા વિભાગ માટે રૂ.4300 કરોડની જોગવાઈ

16.54 લાખ ખેડૂતોને વીજળી પુરી પાડવા સરકાર તત્પર

સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે રૂ.4212 કરોડ

વીજળી માટે સોલાર રૂફ ટોપ યોજનાની જાહેરાત

1થી 3 કિલોવોટ સોલાર પ્લાન્ટ લગાવનારને 40 ટકા સબસીડી

2 લાખ પરિવાર માટે રૂ.1 હજાર કરોડની ફાળવણી

પુરૂષ દીઠ સ્ત્રી જન્મદર વધારવા નવી યોજનાની જાહેરાત

વ્હાલી દિકરી યોજનાની સરકારે જાહેરાત કરી, રૂ.133 કરોડની જોગવાઈ

આ સિવાય તબીબી શિક્ષણ માટે MBBSની 4800, ડેન્ટલની 1240, પીજી ડિપ્લોમા સુપર સ્પેશિયાલિટી માટે 1944 બેઠકો ઉપલબ્ધ છે. રાજકોટ એઇમ્સ માટે 200 એકર જમીન ફાળવણી કરી છે. તેમજ આંતર માળખાકીય સવલતો માટે 10 કરોડ, નવી 750 MBBS બેઠકો માટે 80 કરોડ, સુરત, ભાવનગર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે 160 કરોડ, હોસ્પિટલોમાં ઓ.પી.ડી બિલ્ડીંગ અને નર્સિંગ બિલ્ડીંગ માટે 116 કરોડ, 108ની નવી 100 એમ્બ્યુલન્સ માટે 18 કરોડ, 310 સરકારી આયુર્વેદ દવાખાનાને હેલ્થ વેલનેસ સેન્ટરમા રૂપાંતરિત કરવા 48 કરોડ અને જામનગર મેટરનિટી ચાઇલ્ડ બ્લોક માટે 25 કરોડની ફાળવણી કરી છે.

ગુજરાત સરકાર ખેડૂતોની પડખે : DyCM

રી યુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ જાહેર કરનાર ગુજરાત પ્રથમ

આ નીતિ અંતર્ગત રૂ.199 કરોડની જોગવાઈ

આગામી અષાઢી બીજ સુધીમાં ખેડૂતોને સવા લાખ વીજ કનેક્શન અપાશે

અષાઢી બીજથી નર્મદામાંથી કેનાલમાં પાણી છોડવામાં આવશે

ખેડૂતોને સિંચાઈ માટે અષાઢી બીજથી નર્મદાનું પાણી અપાશે

આગામી 3 વર્ષમાં 60 હજાર યુવાનોની સરકાર નોકરીમાં ભરતી કરાશે

3 વર્ષમાં નવા 70 હજાર સખી મંડળ બનાવવાની જાહેરાત

CM એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ 1 લાખ ભરતી માટે રૂ.78 કરોડ

શ્રમિકો માટે સચેત યોજના હેઠળ રૂ.15 કરોડની જોગવાઈ

શ્રમિકોના બાળકોની હોસ્ટેલ માટે રૂ.10 કરોડની જોગવાઈ

રાજ્યમાં ફાયર સેફ્ટી ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે

આગની ઘટનાઓ બાદ સરકારે રૂ.129 કરોડની જોગવાઈ કરી

અગ્નિશામક સાધન, ફાયર સ્ટેનનના સાધનો માટે જોગવાઈ

સુરત આગની ઘટના બાદ રાજ્ય સરકારે લીધો બોધપાઠ

મેટ્રોરેલ પ્રોજેક્ટને આગળ વધારવા રૂ.510 કરોડની જોગવાઈ

એક હજાર નવી ST બસો ખરીદાશે, રૂ.221 કરોડની જોગવાઈ

નવા 22 બસ સ્ટેન્ડ, 13 જૂના બસ સ્ટેન્ડ માટે રૂ.66 કરોડની જોગવાઈ

રાજ્ય સરકારે શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે 30,045 કરોડની ફાળવણી કરી છે. તેમજ નવા 5 હજાર વર્ગખંડો માટે 454 કરોડ દૂધ સંજીવની અને અન્ન ત્રિવેણી યોજના માટે 1015 કરોડ, બાળકોની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે 341 કરોડ, વર્ચ્યુઅલ ક્લાસ રૂમ માટે 103 કરોડ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ, યુનિવર્સિટી ભવન માટે 206 કરોડ અને કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે 252 કરોડની ફાળવણી કરી છે.

હાલ રાજ્યમાં 12 એરપોર્ટ અને 5 એરસ્ટ્રીપ કાર્યરત છે. સરદાર સરોવર, શેત્રુંજય ડેમ, સાબરમતી રિવરફ્રન્ટ પર વિમાન ઉતરાણ શરૂ કરવા માટે રૂ.5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવશે. જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એરિયલ વ્યૂ માટે રૂ.1 કરોડની જોગવાઈ કરી છે. રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવામાં આવશે.

વહાલી દીકરી યોજના’માં 2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય આપવામાં આવશે. જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે. આ યોજનામાં કુલ 133 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આંગણવાડીમાં પુરક પોષણ માટે 751 કરોડ તથા વિધવા પેન્શન માટે 376 કરોડ અને પૂર્ણા યોજના માટે 87 કરોડની ફાળવણી કરી છે.

રાજ્ય સરકારે બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહભાગી સિંચાઇ યોજના જેવા જળ સંપત્તિના કામ માટે રૂ. 7157 કરોડની ફાળવણી કરી છે. જ્યારે સૌની યોજનાના ત્રીજા તબક્કાના 2,258 કરોડના કામ હાલ પ્રગતિમાં છે. જેના માટે રૂ.1880 કરોડની જોગવાઇ કરી છે.તેમજ થરાદથી સીપુ ડેમ પાઇપ લાઇન માટે 100 કરોડ ફાળવ્યા છે.જેનો 6000 ગામોને લાભ મળશે. આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ માટે 962 કરોડ, તાપી-કરજણ લીક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબિકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે 372 કરોડની જોગવાઈ કરી છે. તેમજ સુરત જિલ્લાના 23 હજાર ખેડૂતો માટે 245 કરોડ, કરજણ જળાશય માટે 220 કરોડ, કડાણા જળાશય માટે 380 કરોડની ફાળવણી કરી છે.

ઊકાઈ જળાશય સિંચાઈના લાભ માટે રૂ.962 કરોડ

3 મોટી ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરાશે

સોનગઢ, ઉમરપાડ, ડેડિયાપાડા પાઈપલાઈન માટે રૂ.720 કરોડ

અંબિકા નદીના વાઘરેચ પ્રોજેક્ટમાં રૂ.372 કરોડની જોગવાઈ

કાકરાપાર – ગોરધા – વડ યોજનામાં રૂ.245 કરોડની જોગવાઈ

કરજણ જળાશય પાઈપલાઈન યોજના માટે રૂ.220 કરોડ

પાનમ કેનાલ સિંચાઈ યોજનામાં રૂ.40 કરોડની જોગવાઈ

સૂક્ષ્મ સિંચાઈ હેઠળ પ્રવૃતિઓ માટે રૂ.750 કરોડની જોગવાઈ

ખેડૂત યોજનાના અમલ માટે 2,771 નવી જગ્યાઓ ભરવામાં આવશે. જે અંતર્ગત આ વર્ષે 1121 જગ્યાઓ ભરાશે. ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકાના દરે પાક ધિરાણ માટે ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ.952 કરોડની જોગવાઇ કરી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતોને આવરી લેવાશે. જેના માટે 1073 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મિકેનાઇઝેશન માટે 235 કરોડ, ફૂડ પ્રોસેસિંગ માટે 34 કરોડની ફાળવણી કરવામાં આવશે. રાસાયણિક ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ, બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ, 4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતા પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડની જોગવાઈ કરી છે.

જ્યારે ડેરી વિકાસ અને પશુ પાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ, સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાંધકામ માટે 11 કરોડની ફાળવણી કરી છે.

કૃષિ વિષયક વીજ જોડાણ આપવા રૂ.1931 કરોડની જોગવાઈ

ફાર્મ મિકેનાઈઝેશન હેઠળ રૂ.235 કરોડની જોગવાઈ

એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય માટે રૂ.34 કરોડ

રાસાયણિક ખાતર પુરૂ પાડવા રૂ.25 કરોડની જોગવાઈ

પાકનું ડ્રોન, સેટેલાઈટ ઈમેજના સર્વે માટે રૂ.25 કરોડ

ડાંગ, વલસાડમાં ઓર્ગેનિક ખેતી માટે રૂ.15 કરોડ

શાકભાજીના ધરૂ તૈયાર કરવા પંચમહાલ, નર્મદા, અરવલ્લીમાં સેન્ટર

3 નવા સેન્ટર ઓપ એક્સલન્સ સ્થાપવા રૂ.8 કરોડ

12 દૂધાળા એવા 4 હજાર ડેરી ફાર્મ માટે રૂ.134 કરોડ

460 ફરતા પશુ દવાખાના માટે રૂ.47 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજનામાં રૂ.28 કરોડ

રૂણા એનિમલ હેલ્પલાઈન માટે રૂ.15 કરોડની જોગવાઈ

દૂધ મંડળી, પશુપાલકોને સાધન ખરીદી માટે રૂ.36 કરોડ

સૌરાષ્ટ્ર, કચ્છના પશુપાલકો માટે રૂ.25 કરોડની જોગવાઈ

ગીર, કાંકરેજી ગાયના સંવર્ધન માટે રૂ.38 કરોડ

કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ રૂ.33 કરોડની જોગવાઈ

ખેડૂતોના વ્યક્તિગત ગોડાઉન બાંધકામ માટે રૂ.11 કરોડ

નીલ ક્રાંતિ યોજના અંતર્ગત રૂ.65 કરોડની જોગવાઈ

નવા બંદરોના વિકાસ માટે રૂ.210 કરોડની જોગવાઈ

ફિશીંગ બોટમાં માછીમારો માટે રૂ.18 કરોડની જોગવાઈ

હાલના મત્સ્ય બંદરોના રખરખાવ માટે રૂ.60 કરોડ

માછીમારોને જીપીએસ માટે રૂ.60 કરોડની જોગવાઈ

ઝીંગા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે રૂ.9 કરોડ

આ સિવાય મત્સ્યોદ્યોગના વિકાસ માટે માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે 210 કરોડ, ફીશિંગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા 150 કરોડ અને કેરોસિન સહાય માટે 18 કરોડની જોગવાઈ કરી છે.

આગામી 3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે. નવા 70 હજાર સખી મંડળો બનાવી 700 કરોડનું ધિરાણ અપાશે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભ અપાશે. જ્યારે આગામી 3 વર્ષમા મુદ્રા યોજના હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

3 કિલોવોટનો પ્લાન્ટ બેસાડનાર પરિવારને 40 ટકા સબસિડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસિડી માટે રૂ.1000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેનો 2 લાખ પરિવારોને લાભ મળશે.

આ સિવાય ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુધ્ધ કરી તે પાણી ઉંડા દરિયામા નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે રૂ.2,275 કરોડ ખર્ચાશે. જેના માટે આ વર્ષે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી 15 લાખ યુવાઓને રોજગારી મળે તે માટે 31,877 કરોડની લોન અપાશે. જેટલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાણ માટે અરજી કરી છે તેમાંથી 1,25,000 ખેડૂતોને અષાઢી બીજ(4 જુલાઈ)ના દિવસે વીજ જોડાણ આપી દેવાશે.

જળ સંચય અભિયાન પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના ‘નલ સે જલ’ યોજના હેઠળ 2020 સુધી તમામ વિસ્તારમાં નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી પહોંચાડાશે, જેના માટે રૂ. 20 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેના માટે હાલ 4500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

દરિયાકાંઠામાં 8 ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે, ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ કરવા 300એમ.એલ.ડીના પ્રોજેકટની સ્થાપના કરવામાં આવશે. તેની સાથે સાથે માઇક્રો ઈરીગેશન વ્યાપ વધારાશે. જેમાં 18 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાશે. જેનો 11.34 લાખ ખેડૂતોને લાભ થશે.

ભારત સરકારે રાજ્યના 28 લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે 1,131 કરોડ ચૂકવ્યા, ભારત સરકારે બે હેક્ટરની મર્યાદા દૂર કરી છે, જેથી રાજ્યના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

નર્મદા યોજના અંતર્ગત મુખ્ય બંધના આનુષાંગિક કામો, પાવર સાઉસ જાળવણી, કેનાલ ઓટોમેશન, જમીન સંપાદન, નાના વીજ મથકો માટે 6595 કરોડ ફાળવ્યા છે. તેમજ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ના સંકલિત વિકાસ માટે 260 કરોડની ફાળવણી કરી છે.

માહિતી અને પ્રસારણ માટે 174 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કાયદા વિભાગ માટે 1653 કરોડની ફાળવણી, શિક્ષણ માટે 30045 કરોડની જોગવાઈ અને આદિજાતિ વિકાસ માટે 24981 કરોડની જોગવાઈ કરી છે. આ સિવાય રાજ્યમાં નવી 434 કોર્ટો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.