Site icon Revoi.in

‘પદ્મશ્રી’ અને ‘વિદ્યાવાચસ્પતિ’ ના સન્માનથી વિભૂષિત ગુજરાતી-સંસ્કૃત ભાષાના પંડિત કે.કા.શાસ્ત્રીની જન્મ જયંતિ, વાંચો તેમના જીવન વિશે

Social Share
સંકેત.મહેતા

‘વિદ્યાવાચસ્પતિ’, ‘પદ્મશ્રી’, ‘મહામહિમોપાધ્યાય’, ‘બ્રહ્મર્ષિ’, ‘વિદ્યાવિભૂષણ’ જેવા અનેક માન-સન્માનથી વિભૂષિત ગુજરાતી તેમજ ‘કે.કા.શાસ્ત્રી’ કે ‘શાસ્ત્રીજી’ના હુલામણા નામે દેશભરમાં જાણીતા કેશવરામ કાશીરામ શાસ્ત્રી (બાંભણિયા)ની આજે એટલે કે 28 જુલાઇના રોજ જન્મ જયંતિ છે. તેઓ દાયકાઓ સુધી સાહિત્યિક, સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે ત્યારે આજે તેમની જન્મ જયંતિ પર તેમના વિશે વાંચીએ.

તેમના જીવન પર એક નજર

કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો જન્મ જૂનાગઢ જીલ્લાના માંગરોળ હાલનું પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના પસવારી ગામે (સોરઠ) ખાતે વર્ષ 1905ની 28મી જુલાઇના રોજ થયેલો. તેઓએ મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત અને ‘ડોક્ટરેટ’ માટેના માન્ય ગાઇડ પણ હતા.

તેમની સર્જનયાત્રા

બહુશ્રુત વિદ્વાન એવા સ્વ.શ્રી કે.કા.શાસ્ત્રીજીની સર્જનયાત્રા તેમના દીર્ઘાયુ જેટલી માતબર અને અમૂલ્ય રહી છે. સંશોધક-સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, કોશકર્તા અને અનુવાદક તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવનાર સ્વ.કે.કા.શાસ્ત્રીજી પાસેથી અંદાજે 240 જેટલા પુસ્તકો અને 1500થી વધુ લેખ મળે છે.

તેમની કારકિર્દી

તેમની મુખ્ય રચનાઓ અને કૃતિઓ

લેખન પ્રવૃત્તિનો આરંભ

જો તેમની લેખન પ્રવૃત્તિના આરંભ વિશે વાત કરીએ તો તે સંસ્કૃત ગ્રંથોના સંપાદન અને અનુવાદથી થયો. પરંતુ એમનું વિશેષ સત્ત્વ જૂના ગુજરાતી ગ્રંથોના સંપાદન અને ગુજરાતી હસ્તપ્રતોને આધારે મધ્યકાલીન ગુજરાતી કવિઓને લગતી માહિતીના સંકલનમાં વિકસ્યું. એમણે ગુજરાતી ભાષા, વ્યાકરણ અને કોશના સંદર્ભમાં પણ વિશેષ યોગદાન આપ્યું છે.

સન્માન અને ઉપલબ્ધિઓ

  –   વર્ષ 1952 – રણજિતરામ સુવર્ણચંદ્રક
   –  વર્ષ 1966 – અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી વિદ્યાવાચસ્પતિ ની પદવી
   –  વર્ષ 1966 – ભારતી પરિષદ, પ્રયાગ તરફથી મહામહિમોપાધ્યાય ની પદવી
   –  વર્ષ 1976 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી

240 પુસ્તકો અને 1500 લેખના લેખક

તેમણે તેમની સાહિત્યીક કારકિર્દી દરમિયાન કુલ 240 જેટલા પુસ્તકો અને 1500 લેખ લખ્યા છે. તેની સાથોસાથ 19 વિદ્યાર્થીઓને પી.એચ.ડી માટે પણ માર્ગદર્શન આપ્યું છે. તેઓ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક પણ રહી ચૂક્યા છે.

મહત્વનું છે કે, બ્રહ્મર્ષિ અને વિધાવાચસ્પતિ જેવા ઉપમાનથી ઓળખાતા અને પાંડિત્યની પરાકાષ્ટાએ પહોંચેલા ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત સ્વ. શ્રી કે.કા,શાસ્ત્રીનું 9 સપ્ટેમ્બર 2006ના રોજ 101 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવીને અવસાન પામ્યા હતા.  સંશોધક-સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, કોશકર્તા તેમજ અનુવાદક કે.કા.શાસ્ત્રીનું સાહિત્યમાં અમૂલ્ય યોગદાન અનેક પેઢીઓ સુધી યાદગાર રહેશે.