Site icon Revoi.in

બુલેટ ટ્રેન ડેપોમાં જળાશય બનાવશે ભારતીય રેલવે

Social Share

રેલવે પહેલીવાર બુલેટ ટ્રેનના ડેપોમાં જળાશયોનું નિર્માણ કરાવશે. જેથી વરસાદના પાણીનું સંચય કરી શકે. તેનો ઉપયોગ વધુ ગતિવાળી ટ્રેનોના રખરખાવ માટે કરવામાં આવશે. બુલેટ ટ્રેન યોજના લાગુ કરનારી એજન્સી એનએચએસઆરસીએલએ મંગળવારે આની જાણકારી આપી છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે કે જ્યારે દેશના ઘણાં વિસ્તારોમાં જળસંકટની સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે.

રેલવે યોજના બનાવી રહ્યું છે કે મુંબઈ અને અમદાવાદની વચ્ચે હાઈ સ્પીડ કોરિડોરમાં ગુજરાતના સાબરમતી અને સૂરત તથા મુંબઈના થાણેમાં બનનારા ડેપોમાં જળાશયનું નિર્માણ કરાવવામાં આવે, જેથી પાણી બહારથી લાવવું પડશે નહીં.

બુલેટ ટ્રેન યોજના લાગુ કરનારા નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડના પ્રવક્તા સુષ્મા ગૌડે કહ્યું છે કે ડેપો વિસ્તારમાં બનનારા જળાશયોમાંથી ડેપોની પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે. આ જળાશયોમાં વરસાદનું પાણી સંગ્રહિત કરવામાં આવશે અને ડેપોમાં લગાવાય રહેલા જળશોધન પ્લાન્ટના માધ્યમથી આ પાણીનું શોધન થશે.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં રેલવે રાજ્ય પ્રધાન રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતું કે મુંબઈથી અમદાવાદને જોડનારી બુલેટ ટ્રેનના નેટવર્કમાં અન્ય શહેરોને પણ જોડવાને લઈને અભ્યાસ કરાવાય રહ્યો છે. રેલવે રાજ્ય પ્રધાન સુરેશ અંગાડી એક સવાલના જવાબમાં જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકૃત મુંબઈથી અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર અંતરની બુલેટ રેલવે યોજનાને 2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમા કહેવામાં આવ્યું છે કે દિલ્હીના કોલકત્તા અને મુંબઈને જોડવા સિવાય  અન્ય મુખ્ય શહેરો વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવા બાબતે વિગતવાર અભ્યાસ કરાવાય રહ્યો છે. અભ્યાસ રિપોર્ટ મળ્યા બાદ જ મંત્રાલય એ નક્કી કરશે કે ક્યાં શહેરોને બુલેટ ટ્રેન નેટવર્કથી જોડવામાં આવશે.