1. Home
  2. revoinews
  3. પ્રવાસી મજૂરો માટે PM મોદીએ શરૂ કરી રોજગાર યોજના, મળશે આ ફાયદો
પ્રવાસી મજૂરો માટે PM મોદીએ શરૂ કરી રોજગાર યોજના, મળશે આ ફાયદો

પ્રવાસી મજૂરો માટે PM મોદીએ શરૂ કરી રોજગાર યોજના, મળશે આ ફાયદો

0
  • દેશભરમાં વતન વાપસી કરી રહેલા પ્રવાસી મજૂરો માટે રોજગારી મોટું સંકટ
  • આ લોકોને રોજગારી મળી રહે તે માટે PM મોદીએ રોજગાર યોજના લોન્ચ કરી
  • દેશના 116 જીલ્લાઓમાં આ રોજગાર અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું

દેશભરમાં લોકડાઉન લાગુ થયા બાદ રોજગારી ગુમાવી ચૂકેલા પ્રવાસી મજૂરો મોટા પાયે વતન વાપસી કરી રહ્યા છે ત્યારે તેમના માટે ત્યાં પણ રોજગારી પ્રાપ્ત કરવી મોટું સંકટ બની ગયું છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ શનિવારે રોજગાર યોજનાની જાહેરાત કરી છે.

પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહારમાં ‘ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન’ નામની યોજના લોન્ચ કરી હતી. આ યોજનાના ડિજીટલ શુભારંભમાં પાંચ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેટલાક કેન્દ્રીય મંત્રી પણ સહભાગી બનશે.

આ અભિયાન દેશના બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશાના કુલ 116 જીલ્લામાં લોન્ચ કરવામાં આવ્યું છે. 25,000 થી વધારે પ્રવાસી મજૂરો માટે આ અભિયાન પસંદ કરવામાં આવ્યું છે. તેમાં 27 મહત્વાકાંક્ષી જીલ્લાઓ સામેલ છે. 6 રાજ્યોના 116 જીલ્લાઓના ગામ કોવિડ-19 વૈશ્વિક મહામારીને અનુસંધાને સામાજીક દૂરીના નિયમોનું પાલન કરીને સેવા કેન્દ્રો તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે.

125 દિવસના આ અભિયાનમાં પ્રવાસી મજૂરોને રોજગાર ઉપલબ્ધ કરાવવા અને દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં માળખાકીય સુવિધા ઉભી કરવા 25 અલગ-અલગ પ્રકારના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ યોજનાનું સંકલન 12 અલગ-અલગ મંત્રાલયો દ્વારા કરવામાં આવશે.

આ 25 કામો ઉપર ધ્યાન અપાશે

– સામૂદાયિક સ્વચ્છતા પરિસર

– ગ્રામ પંચાયત ભવન

– ફાઈનાન્સ કમિશન ફંડ અંતર્ગત કરાતા કામ

– રાષ્ટ્રીય રાજમાર્ગના કામ

– જળ સંરક્ષણ અને જળ સંચયના કામો

– કૂવાઓનું નિર્માણ

– વૃક્ષારોપણના કામ

– બાગકામ

– આંગણવાડી કેન્દ્રોના કામ

-પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના કામ

– ગ્રામીણ માર્ગ અને સરહદ માર્ગના કામ

– ભારતીય રેલવે અંતર્ગત આવતા કામો

– શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિશન

– ભારત નેટ અંતર્ગત ફાઈબર ઓપ્ટિકલ કેબલ પાથરવાનું કામ

– પીએમ કુસુમ યોજનાનું કામ

– જળ જીવન મિશન અંતર્ગત કરાતા કામ

– પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પ્રોજેક્ટ

– કૃષિવિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત જીવનનિર્વાહની ટ્રેઈનિંગ

– જિલ્લા ખનિજ નિધિ અંતર્ગત આવતા કામ

– સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટના કામ

– ફાર્મ પોન્ડ (ખેતતલાવડી)ના કામ

– પશુ માટેના શેડ બનાવવાનું કામ

– ઘેટા-બકરાં માટે શેડ બનાવવાનું કામ

– મરઘા પાલન માટે શેડ નિર્માણ

– અળસિયાનું ખાતર બનાવતા યુનિટ તૈયાર કરવા

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.