Site icon Revoi.in

UP: નજીબાબાદમાં ગોળીઓની રમઝટ, બીએસપીના નેતા સહીત બેની હત્યા

Social Share

ઉત્તરપ્રદેશના બિજનૌર જિલ્લામાં ધોળા દિવસે અજાણ્યા બદમાશોએ બીએસપીના નેતા હાજી એહસાન અને તેમના ભાણિયા શાદાબની ગોળીઓ મારીને હત્યા કરી છે. આ હત્યાઓને અંજામ આપનારા બદમાશો ઘટનાસ્થળેથી ફરાર થવામાં કામિયાબ રહ્યા છે. ફાયરિંગને કારણે બજારમાં નાસભાગ સર્જાઈ હતી.

મામલો નજીબાબાદ કસબાનો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ અહીં પહોંચી છે અને તેણે તપાસ શરૂ કરી છે. ઘટનાન વખતે હાજી હસન પોતાની ઓફિસમાં એક ધાર્મિક ગ્રંથ વાંચી રહ્યા હતા. ત્યારે બે બદમાશ મિઠાઈના ડબ્બા લઈને તેમની ઓફિસમાં ઘૂસ્યા અને તેમના પર અંધાધુંધ ગોળીઓ વરસાવી હતી.

ગોળીઓ હાજી એહસાન અને તેમના ભાણિયા શાદાબને લાગી હતી. આ બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ બંનેને મૃત ઘોષિત કર્યા છે. હાજી એહસાન બીએસપીના નજીબાબાદ વિધાનસભાના પ્રભારી હતા. નજીબાબાદમાં તેઓ પ્રોપર્ટીનું કામ પણ કરતા હતા.

ડબલ મર્ડરની ઘટનાથી શહેરમાં સનસનાટી ફેલાઈ છે. બીએસપીના નેતાના પરિવારમાં પણ કોહરામ મચ્યો છે. ઘટના બાદ બજારમાં દહેશતનો માહોલ છે. પોલીસ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. તપાસ શરૂ થઈ ચુકી છે. પોલીસ હવે બદમાશોની તલાશ કરી રહી છે. છેલ્લા અહેવાલો સુધી હત્યાનો ઉદેશ્ય સ્પષ્ટ થયો નથી.