Site icon Revoi.in

 ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા ‘રણજી ટ્રોફી’ જેના નામે રમાય છે તેવા ‘કુમાર સિંહ રણજીતસિંહજી’ એ ક્રિકેટ જગતમાં આજ રોજ રચ્યો હતો ઈતિહાસ

Social Share

જામ રણજીને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક ગણવામાં આવે છે તેમનો જન્મ ૧૯૦૭માં થયો હતો, તેઓ નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ તરીકે પણ પ્રસિધ્ધ બન્યા હતા. પછીથી તેઓ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર પણ બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ તેમણે કર્યું હતું.ભારતના નવાનગર રજવાડાના ૧૯૦૭ થી ૧૯૩૩ દરમિયાન મહારાજા જામ સાહેબ અને જાણીતાં ટેસ્ટ ક્રિકેટ ખેલાડી હતા જેઓ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વતી મેચ રમ્યા હતા,તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને સસેક્સ પરગણાં તરફથી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા.

કુમાર રણજીતસિંહનું ક્રિકેટ જગતમાં મહત્વનું નામ

કુમાર શ્રી રણજીતસિંહજી ઉર્ફે રણજી ના નામે આજે એક અદભૂત રેકોર્ડ છે. બ્રિટિશની ટીમમાં રમનારા હિન્દુસ્તાનના મહાન ક્રિકેટરમાંના એક એવા રણજીત સિંહએ વર્ષ 1896મા 22 ઓગસ્ટ એટલે કે આજના દિવસે જ એક ખાસ ઈતિહાસ રચ્યો હતો, , તેમણે પ્રથમ શ્રેણી ક્રકિટેમાં એક જ દિવસમાં બે સદી ફટકારવાનું પરાક્રમ કરીને લોકોને મંત્રમૃગ્દ્ધ કર્યા હતા જે આજ દિન સુધી દર્શકો ભૂલી શક્યા નથી.

રણજીતસિંહ એ ઇંગ્લેન્ડ તરફથી જુલાઈ 1896 ટેસ્ટમાં ડેબ્યૂ વખતે 154 રન બનાવ્યા હતા અને તેના એક મહિનાના સમયની અંદર જ તેમણે ઇંગ્લેન્ડના શહેર હોવમાં સસેક્સ તરફથી રમતા યોર્કશાયરના સામે એક જ દિવસમાં બે સદિ રમ્યા હતા.

યોર્કશાયરે પ્રથમ દાવ રમતા 407 રન બનાવ્યા હતા. જેના વળતા જવાબમાં સસેક્સની ટીમએ ત્રીજા દિવસે રણજિતસિંહજીની સદી ઉપરાંત 191 રનમાં પડી ગઈ હતી અને તે ફોલોઅનને બચાવી શકી ન હતી. આ પછી, રણજિત સિંઘજીએ ફરીથી ફોલો-ઇન ઇનિંગ્સમાં નાબાદ 125 રન બનાવ્યા અને એક જ દિવસમાં બે સદી ફટકારી લોકોને વિચાર કરતા કરી મૂક્યા, રણજિતસિંહજની સદીના કારણે સસેક્સ એ 260/2 કરી મેચ બચાવી લીધી હતી.આ સાથે જ એક જ મેચમાં બે સદી કરનારા સસેક્સ તીસરા બલ્લેબાજ બન્યા, પરંતુ તેનાની વિશેષ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક જ દિવસમાં બે સદી બનાવનારા એકમાત્ર ક્રિકેટર બન્યા।

રણજીતસિંહજીની ક્રિકેટ જગતમાં કારકીર્દિ

સાહીન-