Site icon Revoi.in

દેશને કેરળમાં ઓણમ દરમિયાન વધેલા કોરોના કેસોથી શીખવું જોઈએ – સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધન

Social Share

અમદાવાદ: કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધનને રવિવારે કહ્યું કે લોકોએ તહેવારોની સીઝનમાં મોટા મેળાવડાથી બચવું જોઈએ. આપણે કેરળમાંથી બોધપાઠ લેવો જોઈએ, કારણ કે કોરોના ઉપર કંટ્રોલ બાદ, અઠવાડિયા લાંબી ઓણમ ઉત્સવના અંતે ઘોર બેદરકારી હતી. સોશિયલ મીડિયા પર સાપ્તાહિક વાર્તાલાપ દરમિયાન, ડો.હર્ષવર્ધનએ પણ સ્વીકાર્યું કે સમુદાયમાં કોરોનાવાયરસ ફેલાવાની સંભાવના છે. જો કે, કેટલાક જિલ્લાઓ અને રાજ્યોમાં જ તે મર્યાદિત રહેવાની ધારણા છે.

કેરળના સ્વાસ્થ્યમંત્રી કે.કે. સેલાજાએ ઓણમ દરમિયાન બેદરકારીની કેન્દ્રીય મંત્રીની ટિપ્પણીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ કેરળની ટીકા કરતા નથી, પરંતુ કેરળમાં ઓણમ દરમિયાન થયેલી જાહેર સભાઓ ટાળવા અન્ય રાજ્યોને સલાહ આપી હતી.

કેરળ સરકારની નિષ્ફળતા
જો કે કેરળના વિરોધી પક્ષોએ કેન્દ્રની ટિપ્પણીઓને રાજ્ય પર આરોપના રૂપમાં કહ્યું છે. વિપક્ષે કહ્યું કે કેન્દ્રીયમંત્રીએ કેરળ સરકારની નિષ્ફળતાને પ્રકાશિત કરી છે. રાજ્ય 3 લાખ કોરોના કેસોના રેકોર્ડ તરફ આગળ વધી રહ્યું છે તેવા પ્રશ્નના જવાબમાં હર્ષવર્ધને કહ્યું કે મહામારીના પ્રારંભિક તબક્કા દરમિયાન વાયરસ નિયંત્રણમાં આવ્યા પછી સ્થિતિ વધુ વણસી છે.

તહેવારોની સીઝનમાં રાજ્યોએ બેદરકારી દાખવી ન જોઈએ

હું કહીશ કે અન્ય રાજ્યોએ તહેવારોની સીઝનમાં કેરળમાં બનેલી બેદરકારીથી શીખવું જોઈએ. હું એમ પણ કહીશ કે આ સિઝનમાં બધા રાજ્યોએ સાવધાન રહેવું જોઈએ. ઓછામાં ઓછા આવતા કેટલાક મહિનાઓ માટે સાવચેતી રાખવી જોઈએ. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 9,016 નવા કેસ નોંધાયા છે, જે મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે. કેસોમાં વધારા બાદ શુક્રવારે કેન્દ્રીય ટીમને કેરળ મોકલવામાં આવી છે.

_Devanshi