Site icon hindi.revoi.in

ભારત ખુદનું સ્પેસ સ્ટેશન બનાવશે: ઈસરો

Social Share

નવી દિલ્હી: ભારત પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ કહેવું છે ઈસરોના પ્રમુખ સિવનનું. તેમણે કહ્યુ છે કે આ ગગનયાન મિશનનું વિસ્તરણ હશે. 2030માં ભારત દ્વારા સ્પેસ સ્ટેશન બનાવવાની સંભાવના છે.

ઈસરોના પ્રમુખે કહ્યુ છે કે હ્યુમન સ્પેસ મિશન બાદ આપણે ગગનયાન પ્રોગ્રામને જાળવી રાખવો પડશે. તેવામાં ભારત પોતાના ખુદના સ્પેસ સ્ટેશનના નિર્માણની તૈયારી કર રહ્યું છે.

આના પહેલા સરકાર અને ઈસરોએ સંયુક્તપણે જાણકારી આપી છે કે 15 જુલાઈએ લોન્ચર થનારા મિશન ચંદ્રયાન-2ની સાથે જ ભારતની નજર હવે શુક્ર અને સૂર્ય સુધી છે. મિશન ચંદ્રયાનની કુલ પડતર કિંમત 10 હજાર કરોડ રૂપિયા હશે.

ભારતના મહત્વકાંક્ષી સ્પેસ પ્રોજેક્ટ સંદર્ભે કેન્દ્રીય પ્રધાને કહ્યુ છે કે ગત કેટલાક સમયથી ભારતે અંતરીક્ષ ક્ષેત્રમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ઈસરોના પ્રમુખે ભવિષ્યની યોજનાઓ સંદર્ભે જણાવ્યું છે કે ભારતીય અંતરીક્ષ વિજ્ઞાને સૂર્ય, શુક્ર જેવા ગ્રહો સુધી પહોંચવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે.

Exit mobile version