Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના શોપિયા જીલ્લામાં સેનાના જવાનોએ 4 આતંકીઓનો કર્યો ખાતમો

Social Share

જમ્મુ-કાશ્મીર કે જ્યા અવાર નવાર આતંકીઓ ઘુસણખોરી કરતા હોવાની ઘટના બનતી રહેતી હોય છે,અને દેશની સેના સતર્ક રહીને તેમના નાપાક ઈરાદાઓને ખતમ કરતા હોય છે,આતંકીઓ અને સેનાની અહી મોટે ભાગે જંગ છેડાયેલી જો મળે છે,સત્યારે ફરી એકવાર આતંકીઓ અને સુરક્ષાદળોના જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું।જેમાં સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે,

જમ્મુ કાશ્મીરમાં આવેલા શોપિયાના અમ્શીપોરામાં આતંકીઓ અનેસુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ ચાલ્યુ હતું જેમાં સેનાએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. જો કે હજુ આ આતંકીઓ કોણ છે તેની કોઈ ભાળ મળવા પામી નથી,

આ પહેલા શુકંર્વારના રોજ આ આતંકીઓ અમ્શીપોરાના કોઈ એક ઘરમાં સંતાયેલા હોવાની સેનાને બાતમી મળી હતી,હાલ પણ સુરક્ષા દળો જે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે કે આતંકવાદી હજુ પણ ત્યા સંતાયેલો નથી,તેની તપાસ કરી રહ્યા છે

મળેવી માહિતકીના આધારે સુરક્ષા દળોએ વિતેલા દિવસ શુક્રવારની મોડી રાતે જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને વિસ્તારમાં ઓપરેશન શરુ કર્ય।ું હતું, સર્ચ ઓપરેશન શરુ કર્યા પહેલા સેના દ્રારા આતંકવાદીઓને સરેન્ડર કરવા પણ જણાવવામાં આવ્યું હતું પરંતુ સેનાની વાત ન માનતા આતકંકીઓએ સામેથી ફાયરિંગ કરવાનું શરુ કર્યું જેથી સેના અને આતંકીઓ વચ્ચે અછડામનણ સર્જાય અને 4 આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો।

છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં આતંકીઓના ખાતમો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે,આતંકીઓનો નાશ કરીને જમ્મુ કાશ્મીરને આતંકીઓ મૂક્ત સ્વર્ગ બનાવવાનનું દેશનું સપનું ચોક્કકસ એક દિવસ સાકાર થશે,દેશના પ્રધાનમંત્રી દ્રારા સુરક્ષાને પ્રથન પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.બીજી તરફ આતંકીઓ અવાર નવાર ઘુસણખોરી કરે છે જો કે સસર્ક રહેતી સેના આતંકીઓને પકડી જ પાડે છે. અત્યાર સુધી જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાંથી 130થી પણ વધુ આતંકીઓનો ખાતમો કરી સેનાએ મોટી સલફળતા મેળવી છે,

સાહીન-