1. Home
  2. revoinews
  3. ગુજરેટનું પરિણામ જાહેર, 1065 વિદ્યાર્થીઓના 99 પર્સન્ટાઈલ

ગુજરેટનું પરિણામ જાહેર, 1065 વિદ્યાર્થીઓના 99 પર્સન્ટાઈલ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ-12 પછી વિજ્ઞાનપ્રવાહના બાદ ડિગ્રી, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, ફાર્મસી, પેરા મેડિકલ વગેરે અભ્યાસ ક્રમમાં પ્રવેશ મેળવવા લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં લગભગ 1.06 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. પરીક્ષામાં ગ્રુપ Aમાં 410 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલથી વધુ રેન્ક મેળવ્યો હતો. જ્યારે ગ્રુપ B માં 655 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યાં હતા. તેમજ 13 હજારથી વધુ વિદ્યાર્થીઓને 80 પર્સન્ટાઈલથી વધુ રેન્ક મળ્યો હતો.

ગુજરાતમાં માર્ચ મહિનામાં ધો-12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. જો કે, કોરોના મહામારીને પગલે ગુજકેટની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. દરમિયાન પાંચેક મહિના થોડા દિવસો અગાઉ જ ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવિડ 19 ગાઇડલાઇનને અનુસરી આ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લા મથકો પરથી લેવાઈ હતી. આ પરીક્ષાની સાથે ધો-10 અને ધો-12ની પૂરક પરીક્ષાઓ પણ યોજાઈ હતી.

દરમિયાન આજે ગુજકેટનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં 1.06 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાં ગ્રુપ A માં 410 વિદ્યાર્થીઓએ અને ગ્રુપ B માં 655 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યાં હતા. જોકે, હાલ વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ નહિ કરવામાં આવે. પૂરક પરીક્ષાની માર્કશીટ સાથે આગામી દિવસમાં ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code