Site icon hindi.revoi.in

ગાઝિયાબાદની ચોંકાવનારી ધટનાઃએકજ પરીવારના 5 સભ્યોના મોત

Social Share

આજકાલ દેશભરમાં હત્યાના ગુનાઓ દિવસે ને દિવસે વધુ નોંધાઈ રહ્યા છે ત્યારે ફરિ એકવાર ગાઝિયાબાદના મસૂરીમાં એક ચોંકાવનારો બનાવ બનવા પામ્યો છે. જ્યા એક જ પરીવારના કુલ પાંચ સભ્યોના રહસ્યમય રીતે મોત થયા છે, પોલીસ પાસેથી મળતી માહિતી મુંજબ આજે શુક્રવારે વહેલી સવારે ન્યુ સતાબ્દીપુરમમાં રહેતા એક પરીવારના પિતા અને ત્રણ બાળકોની લાશ મળી આવી હતી, દરેકની લાશ પર કાળા કલરની ટેપપટ્ટી મારેલી જોવા મળી હતી જ્યારે પત્નિને ઈજાગ્રસ્ત હાલતમાં આનંદ ફાનંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યા સારવાર દરમિયાત તેનું પણ મોત નિપજ્યું હતું.

 પોલાસનું માનવું છે કે આત્મહત્યાનો મામલો છે કારણ કે પતીની લાશ પાસેથી એક સ્યુયાઈડ નોટ મળી આવી છે. પતીનું નામ પ્રદીપ છે અને તેને નશાની આદત હતી જ્યારે તેની પત્નિ એમ્સ હોસ્પિટલમાં સ્ટાર્ફ નર્સ તરીકે ફરજ બજાવતી હતી. આ પરીવારના ત્રણ બાળકોના પણ મોત થયા છે તેમની ઉંમર આશરે 8, 5, ને 3 વર્ષની છે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજું જાણવા મળ્યું નથી પોલીસ દ્રારા સ્યુયાઈડ નોટની ચકાસણી કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ આશરે સવારે 5:30 વાગ્યાની આસપાસ એક ઈસમ દ્રારા જાણ કરવામાં આવી હતી કે એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે.  બનાવની જાણ થતા જ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને ધરનો દરવાજો તોડતાની સાથે જ ત્રણ નાના નાના બાળકોની લાશ જોવા મળી હતી.પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version