Site icon Revoi.in

18 વર્ષ પછી ગુજરાતના અક્ષરધામ આતંકી હુમલા પર બનશે ફિલ્મ

Social Share

અમદાવાદ: આ દિવસોમાં સત્ય ઘટના પર ઘણી ફિલ્મો બની રહી છે, તે હવે ટ્રેંડ બની ગયો છે, આ ક્રમમાં હવે ગુજરાતના અક્ષરધામ આતંકી હુમલા પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. સીરીઝ ‘સ્ટેટ ઓફિસો: 26/11’ના નિર્માતાઓએ ગુરુવારે ફિલ્મ ‘સ્ટેટ ઓફ સીઝ: અક્ષરધામ’ બનાવવાની ઘોષણા કરી છે.

ગુજરાતના ગાંધીનગર શહેરમાં સ્થિત અક્ષરધામ મંદિર પર 18 વર્ષ પહેલા એટલે કે 24 સપ્ટેમ્બર 2002ના રોજ એક મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 30થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 90થી વધુ લોકો ઘાયલ થયા હતા. ફિલ્મની ઘોષણા થયા બાદથી જ આ ફિલ્મ અંગે ચર્ચા વધુ તીવ્ર બની છે. જ્યાં ફિલ્મની રિલીઝ અને સ્ટાર કાસ્ટ વિશે કોઈ માહિતી સામે આવી નથી.

આ હુમલાના આરોપીની પોલીસે ઘણી જહેમત બાદ ધરપકડ કરી હતી. તેમાં મોહમ્મદ ફારૂક અને કેટલાક અન્ય નામો છે જેઓ આ હુમલામાં સીધા જ સામેલ હતા. આ પહેલા પણ ભારતમાં આતંકવાદી હુમલાઓ પર ઘણી ફિલ્મો બની ચુકી છે. જેને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. હવે તે જોવાનું રહેશે કે દર્શકો આ ફિલ્મને કેટલો પ્રેમ આપે છે. અને આ ફિલ્મ જી 5 એપ પર રિલીઝ થશે.

_Devanshi