Site icon Revoi.in

ટાયર ફાટ્યા બાદ સ્પાઈસજેટની ફ્લાઈટનું જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Social Share

જયપુર: રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર આજે સ્પાઈસજેટની એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડયું છે.

આ ફ્લાઈટમાં 189 પ્રવાસીઓ સવાર હતા. તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે

સવારે નવ વાગ્યે અને ત્રણ મિનિટે જયપુર એરપોર્ટ પર દુબઈ-જયપુર SG 58નું ટાયર ફાટયા બાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે.

આ ફ્લાઈટને પાર્કિંગમાં ઉભી રાખવામાં આવી છે અને તેની તપાસ થઈ રહી છે.