Site icon Revoi.in

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન તેજ, સેન્ટર્સમાં કરાયો વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણ ઘટી રહ્યું છે જેથી સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બેડ ખાલી છે. બીજી તરફ હાલ રાજ્યમાં કોરોનાની રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં 500 જેટલા સેન્ટર ઉપર કોરોનાની રસી આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓને પ્રથમ તબક્કામાં કોરોનાની રસી આપવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 80 હજાર આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવી છે, હજી 3.70 લાખ આરોગ્યકર્મીઓને રસી આપવાની બાકી છે. રસીકરણના આ પ્રથમ તબક્કાને 5 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવાનું સરકાર આયોજન કરી રહી છે. રાજ્યમાં કુલ 161 સેન્ટર્સ પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે સરકાર આ સેન્ટર્સની સંખ્યા વધારીને 500 સુધીને કરી છે. રાજ્યમાં હવે 500 સેન્ટર્સ પર કોરોના રસીકરણની કામગીરી થશે .