Site icon Revoi.in

મુંબઈની લીલાવતી હોસ્પિટલની બહાર પરેશાન જોવા મળી કાજોલ, ફેન્સે દર્શાવી ચિંતા

Social Share

બોલિવુડ એક્ટર અજય દેવગણના પિતા અને એક્શન ડાયરેક્ટર વીરૂ દેવગણનું ગયા સોમવારે અવસાન થઈ ગયું. આ સમાચારથી બોલિવુડમાં શોકની લાગણી છવાયેલી હતી. પોપ્યુલર સ્ટંટ ડાયરેક્ટરના અવસાન પર ઇન્ડસ્ટ્રીની અનેક મોટી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું અને ઘણા બોલિવુડ સ્ટાર્સ અજય-કાજોલના ઘરે પહોંચીને શોક વ્યક્ત કર્યો.

આ દરમિયાન કાજોલનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયકલ થઈ રહ્યો છે. આ ફોટામાં કાજોલ ઘણી પરેશાન જોવા મળી રહી છે. કાજોલનો આ ફોટો મુંબઈની લીલાવતી હોસ્પિટલનો છે, જ્યાં ગઈ રાતે જોવા મળી હતી. મળતી માહિતી પ્રમાણે, લીલાવતી હોસ્પિટલમાં કાજોલની માતા અને બોલિવુડ એક્ટ્રેસ તનુજા હોસ્પિટલમાં દાખલ છે. આ કારણે કાજોલ પોતાની માતાને મળવા જ ત્યાં પહોંચી હતી. અત્યાર સુધી તનુજાના સ્વાસ્થ્ય વિશે કોઈપણ પ્રકારની જાણકારી સામે આવી નથી.

સામે આવેલા કાજોલના આ ફોટાને બોલિવુડ રિપોર્ટર વીરેન્દ્ર ચાવલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. ફોટો શેર કરીને વીરેન્દ્ર ચાવલાએ કેપ્શનમાં લખ્યું છે કે કાજોલને લીલાવતી હોસ્પિટલની બહાર જોવામાં આવી, તે પોતાની માતા તનુજાને મળવા ગઈ હતી, જ્યાં તે દાખલ છે. વીરેન્દ્રના આ ફોટાને જોઇને ફેન્સ પણ પરેશાન થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર કાજોલને કેટલાક ફોટા સામે આવ્યા તો લોકોએ કોમેન્ટ્સમાં પૂછ્યું કે શું તેમના ઘરે બધું બરાબર છે. જોકે, કેટલાક લોકોએ એવી કમેન્ટ પણ કરી છે કે તેમની માતા તનુજાની તબિયત ખરાબ છે.