Site icon Revoi.in

બોલિવૂડમાં ડાયલોગ્સ અને ગીત પીરસનાર પ્રસૂન જોશીનો જન્મ દિવસ – તેમના વિશે કેટલીક જાણી-અજાણી વાતો

Social Share

16 સપ્ટેમ્બરના રોજ હિન્દી સિનેમાના મશહૂર ગીતકાર, લેખક અને સીબીએફસીના અધ્યક્ષ પ્રસૂન જોશી જન્મદિવસની ઉજવણી કરે છે. તેમણે હિન્દી સિનેમાને એકથી વધુ ગીત અને ડાયલોગ્સ આપ્યા છે. પ્રસૂન જોશીએ તેમના શાનદાર ગીતો માટે અનેક એવોર્ડ પણ જીત્યા છે. હાલમાં તે સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ ના અધ્યક્ષ છે. જન્મદિવસ નિમિત્તે અમે તમને પ્રસૂન જોશીથી સંબંધિત ખાસ બાબતોનો પરિચય આપીશું.

પ્રસૂન જોશી બાળપણથી જ કવિ બનવાની ઇચ્છા રાખતા હતા. પ્રસૂન જોશીનો જન્મ 16 સપ્ટેમ્બર 1971 ના રોજ ઉત્તરાખંડના અલ્મોડામાં થયો હતો. તેમણે ફિઝિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને એમબીએ કર્યું છે. અભ્યાસ પૂરો થયા બાદ તે દિલ્હીની વિજ્ઞાપન કંપની O&M માં જોડાયા. અહીં પ્રસૂન જોશીએ લગભગ 10 વર્ષ કામ કર્યું. ત્યારબાદ તે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાપન કંપની ‘મેકએન ઇરીકસન’ ના એક્ઝિક્યુટિવ ચેરમેન પણ હતા.

પ્રસૂન જોશીએ ફક્ત યાદગાર ગીતો જ લખ્યાં નથી, પરંતુ તેના ઘણા વિજ્ઞાપન પણ છે, જેના માટે તેમણે ટેગ લાઇન લખી છે. ‘કોલ્ડ એટલે કોકા-કોલા’, ‘ક્લોરામિન્ટ શા માટે ખાય છે? ‘ફરીથી પૂછશો નહીં’ અને ‘અતિથિ દેવો ભવ:’ સહિતના અનેક વિજ્ઞાપન માટે પ્રસૂન જોશીએ ટેગ લાઇન લખી જે સદાબહાર બની ગઈ. આ ટેગ લાઇન માટે તેણે એવોર્ડ પણ જીત્યા છે.

પ્રસૂન જોશી બાળપણથી જ લેખનનો શોખ ઘરાવે છે. આ જ કારણ હતું કે તેમણે 17 વર્ષની ઉંમરે પોતાનું પહેલું પુસ્તક ‘મેં ઓર વો’ લખી હતી. ગીતકાર તરીકે પ્રસૂન જોશીએ પોતાની કારકિર્દીની શરૂઆત રાજકુમાર સંતોષીની ફિલ્મ લજ્જાથી કરી હતી. ત્યારબાદ તેણે એકથી વધુ હિટ ફિલ્મો માટે ગીતો અને ડાયલોગ્સ લખ્યા હતા જેને ખુબ જ પસંદ કરવામાં આવ્યા. પ્રસૂન જોશીએ ‘હમ તુમ’, ‘રંગ દે બસંતી’, ‘તારે જમીન પર’, ‘બ્લેક’, ‘દિલ્હી 6’, ‘લંડન ડ્રીમ્સ’, ‘ગજની’ અને ‘સત્યાગ્રહ’ સહિતની ઘણી ફિલ્મો માટે ગીતો લખ્યા હતા.

પ્રસૂન જોશી McCann World નો પણ ભાગ રહ્યા છે. આ કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના મેક ઇન ઈન્ડિયા અને તેમના વિદેશી અભિયાન સહિતના જિંગલ્સની ડીઝાઇન પણ કરી હતી. પ્રસૂન જોશી ચર્ચામાં આવ્યા, જ્યારે 2017 માં તેમણે લંડનમાં વડાપ્રધાન મોદીનું બે કલાક અને 20 મિનિટ ઇન્ટરવ્યુ લીધું હતું. આ સાથે તેઓ વડાપ્રધાનના સૌથી લાંબી મુલાકાત લીધેલા કવિ અને લેખક બન્યા છે.

દેવાંશી-