Site icon Revoi.in

યૂપીમાં જય શ્રીરામના નારા ન લગાવતા જીવતો સળગાવામાં આવેલા યુવકનું મોત

Social Share

ઉત્તર પ્રદેશના ચંદ્રૌલીમાં યુવકને જીવતો સળગાવતા યુવકનું મોત નીપજ્યું છે ,યુવક અબ્દુલ ખાલિકનું વારાણસીના કબીર ચૌરા મંડલીય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ,યુવકને 70 ટકાથી વધુ બળી ગયેલી હાલતમાં રવિવારના રોજ  હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે સોમવારના રોજ  યુવક મોતને ભેટ્યો હતો, ત્યારે મરનાર અબ્દુલે આરોપ લગાવ્યો છે કે તેને જય શ્રી રામના નારા લગાવવાનું કહેવામાં આવ્યું હતું , નારા લગાવવાની તે યુવકે ના પાડતા તેને જીવતો સળગાવામાં આવ્યો હતો.

હોસ્પિટલના કેમેરામાં બયાન આપતા  યુવકે કહ્યું હતું કે “ શ્રી રામ ન બોલવાથી મારા પર આગ લગાવવામાં આવી હતી , હું દુધારી પુલ પર લટાર મારી રહ્યો હતો ત્યારે ચાર લોકોએ મારું અપહરણ કર્યું ,જેમાંથી બે લાકોએ મારા હાથ બાંધ્યા જ્યારે ત્રીજા વ્યક્તિએ મારા ઉપર કેરોસીન નાખ્યું ત્યાર બાદ તેઓએ મારા ઉપર આગ લગાવી અને ત્યાથી ભાગી ગયા  ”

ત્યારે બાદ  યુવકે બયાનમાં કહ્યું કે “તેઓ દ્વારા મને શ્રી રામ બોલવા પર મજબુર કરવામાં આવ્યો હતો ” ત્યારે  ઘટનાની તપાસ પોલીસે શરુ કરી છે ,પોસીલનું કહેવું છે કે  આ યુવક સળગેલી હાલતમાં પોતાના ધરે પહોચ્યો હતો ત્યાર બાદ પોલીસ ત્યા પહોંચી હતી , મનરાજપુર ગામમાં કેટલાક યુવકો હતા જેઓ એ આ યુવકને મેદાન તરફ લઈ ગયા હતા અને ત્યા સળગાવ્યો હતો, પોસીલ આ ઘટનાને શંકાસ્પદ માની રહી છે  ધટનામાં પોલીસને અનેક શંકાઓ લાગી રહી છે.