Site icon Revoi.in

અરુણ જેટલીના પરિવારને નથી જોઈતું પેન્શન-પત્નીએ ઓછા પગારદાર કર્મીઓ માટે પેન્શન દાન કર્યું

Social Share

પૂર્વ નાણાં મંત્રી અને બીજેપીના વરિષ્ટ નેતા અરુણ જેટલી 24 ઓગસ્ટના રોજ દિસ્હી સ્થિત એઈમ્સમાં મૃત્યુ પામ્યા હતા,તેઓ છેલ્લા સમયમાં ઘણી બિમારીઓ માસે લડી રહ્યા હતા,ત્યારે તેમના નિધન પછી તેમના પરિવારને મળતું પેન્શનને તેમના પત્નીએ દાન કર્યું છે, દિવંગત નેતાના પત્ની સંગીતા જેટલીએ આ પેન્શનના મામલે રાજ્યસભા સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને એક પત્ર લખ્યો છે

સંગીતા જેટલીએ પોતાના પતિનું પેન્શન તે કર્મચારીને દાન કરવાનું કહ્યું છે કે,જેમનો પગાર ઓછો છે,જેટલીના પરિવારે લીધેલા  નિર્મય પછી હવે જેટલીનું પેન્શન ઓછા પગારવાળા કર્મીઓને પવામાં આવી શકે છે,જેટલીના પરિવારને પેન્શનના રુપમાં વર્ષ ભરમાં કુલ 3 લાખ રુપિયા જેવી મોટી રકમ મળે છે ,જો કે તેમના પરિવારે એક મોટી દયાભાવના દાખવી છે.

અરુણ જેટલીના પરિવારમાં તેમના પત્ની સંગીતા સિવાય પુત્રી સોનાલી અને પુત્ર રોહન છે,આ બન્ને સંતાન તેમના પિતાના જેમ વકીલ છે,વકાલતમાં  જેટલીના પરિવારની ત્રીજી પેઢી છે,અરુણ જેટલી વકીલ અને રાજનેતાની સાથે સાથે દિલ્હી જીલ્લા ક્રિકેચ સંઘના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે

વર્ષ 2010મા થયેલા સંશોધન મુજબ સંસદના રિટાયર્ડ થવા પછીતેમના પરિવારના સદસ્યોને 20 હજાર રુપિયા દર મહિને પેન્શનના રુપે આપવામાં આવે છે,સાથે સાથે તેમના કાર્યકાળના એક વર્ષના આધાર પર 1500 રુપિયા વધુ મળે છે,જો કે મહત્વની વાત તો એ છે કે આ પેન્શન દરેક લોકોને મળે છે,જેમણે કાર્યકાળનો સમય સમપુર્ણ પુરો કર્યો હોય કે નહી,તે ઉપરાંત કી પમ પૂર્વ સાંસદના નિધન થવા પર પતિ અથવા પત્નીને પેન્શનનો અડધો ભાગ પવામાં આવે છે.